Monday, December 21st, 2020

 

દુર્ઘટના: લીમડી ચાકલીયા રોડ પર ટ્રકની અડફેટે રિક્ષામાં બેઠેલી 2 યુવતીના મોત: 4 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક લીમડીથી મજૂરી કરી પરત આવતાં અકસ્માત, ચાલક ફરાર ઝાલોદ તાલુકાના લીમડી ચાકલીયા રોડ ઉપર ટ્રક ચાલકે અડફેટે લેતાં રીક્ષામાં બેઠેલી બે યુવતીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ચારથી વધુ ઘાયલ થયા હતા. અકસ્માત કરી ચાલક ઘટના સ્થળે ટ્રક મુકી ભાગી ગયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઝાલોદના લીલવાઠાકોરના ડામોર ફળીયામાં રહેતા રાયસીંગ વાલાભાઇ ડામોર તથા પત્ની અને છોકરી શિલ્પાબેન તથા ગામના જીગ્નેશ ડામોર, લીલવાઠાકોરના કાળીબેન ડામોર,Read More


આયોજન: દાહોદ જિલ્લાના કલાકારો માટે 18 સ્પર્ધાઓ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 15થી 29 વર્ષના યુવક યુવતીઓ માટે ‘રાષ્ટ્રીય યુવા ઉત્સવ’ તા.5 થી 8 જાન્યુઆરી યોજાશે સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ 18 કૃતિઓની ‘વર્ચ્યુઅલ’ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે ભારત સરકાર દ્વારા 15થી 29 વર્ષના યુવક યુવતીઓ માટે “રાષ્ટ્રીય યુવા ઉત્સવ” 5થી 8 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાનાર છે.જેમા ગુજરાતની ટીમ ભાગ લઇ શકે તે માટે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર હસ્તકની કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતી જિલ્લા,ઝોન, રાજ્ય યુવા ઉત્સવ સ્પર્ધાઓRead More


દંડ: દાહોદમાં અસ્થાયી દબાણો બદલ રૂપિયા 12,000નો દંડ વસૂલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગર પાલિકા દ્વારા ચાલતી અસ્થાયી દબાણો હટાવો ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરાવી રૂ.12,000 નો દંડ વસૂલાયો હતો. દાહોદના નેતાજી બજાર અને સ્ટેશનરોડ ખાતે પાલિકાકર્મીઓની અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની ટુકડીએ અસ્થાયી દબાણો હટાવવાની ઝુંબેશ તા.21 ડિસેમ્બરના રોજ પણ ચાલુ જ રાખતા આ વિસ્તારમાંથી અનેક દબાણો દૂર કરાવી જે તે વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરતા કુલ.રૂ.12,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


વિતરણ: કોરોનાને લીધે એક બાળક દીઠ ત્રણ કિલો ચોખા આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 5.56 લાખ કિલો ચોખાનો જથ્થો પડી રહ્યો હતો દોઢ લાખ ભૂલકાઓના ઘરે ચોખાના પેકેટ અપાયાં કોરોના મહામારીના પગલે તકેદારના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી આંગણવાડીમાં બચેલા ચોખાનો જથ્થો બાળકોમાં સરખા પ્રમાણમાં વિતરણ કરવાનો ઉદ્દાત નિર્ણય કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં 5.56 લાખ કિલો ગ્રામ ચોખાનો વણવપરાયેલો જથ્થો પડ્યો હતો. ત્યારે ચોખા સરખે ભાગે વહેંચતાં એક બાળકના ભાગે ત્રણ કિલો ચોખા આવ્યા હતાં. જિલ્લાના દોઢ લાખ બાળકોને 5.56 લાખ કિલો ચોખાનુંRead More