હોબાળો: દાહોદમાં બંધના એલાન બાદ પણ વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- પોલીસ પાસેથી 4થી 6ના કર્ફ્યૂના અમલ માટે જાહેરનામું માગ્યું
દાહોદમાં સાંજે 4 થી સવારે 6 સુધીના સ્વૈચ્છીક કર્ફ્યુના નવા સમયે દુકાનો બંધ કરાવવા આવેલ પોલીસકર્મીઓને આ સમયે 4 વાગે સ્ટેશન રોડ સ્થિત અમુક વેપારીઓએ દુકાનો બંધ નહીં કરતા હોબાળો મચ્યો હતો. કલેક્ટર સાથે ચર્ચા બાદ સ્વૈચ્છીક લોકડાઉન માટે રજૂઆત કરતા વહીવટી અને પોલીસ તંત્રના માધ્યમથી બપોરે 4 વાગ્યાથી સ્વૈચ્છીક બંધની જાહેરાત કરી હતી.
આ અંતર્ગત તા.12 એપ્રિલે પ્રથમ જ દિવસે લગભગ 3.30 વાગ્યાથી જ પોતાની પેઢીઓ બંધ કરી દીધી હતી. તો સ્ટેશન રોડ સ્થિત કેટલાક વેપારીઓએ સમજીને સ્વૈચ્છીક બંધ કરવા બદલે ખુલ્લી દુકાનો બંધ કરાવવા આવેલ પોલીસકર્મીઓ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ‘તમારી પાસે કલેકટરનું જાહેરનામું હોય તો બંધ કરાવજો’. આમ, કહેતા પોલીસકર્મીઓ સહિત અન્ય ઉપસ્થિતોમાં સોપો પડી ગયો હતો. જો કે આ સમયે પોલીસકર્મીઓએ સમયસૂચકતા દાખવીને જગા છોડી દેવાનું મુનાસિબ સમજ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed