હાલાકી: દાહોદ મેત્રાલ ST બસનો રૂટ બદલાતા મુસાફરોને હાલાકી, દાહોદથી સંજેલી જવા સાંજે છેલ્લી બસ હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વર્ષો જૂની મેત્રાલ દાહોદ એસટી બસ અચાનક બંધ કરી રૂટ ચેન્જ કરાતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ બસ દાહોદથી ડેપોમાંથી દરરોજ સાંજે 5:30ના સમયે ઉપડતી હતી. આ બસ મેત્રાલ નાઈટ કરી વહેલી સવારે મેત્રાલ, મોરા, સંજેલી વાયા ઝાલોદથી દાહોદ તરફ ઉપાડાતી હતી.

પરંતુ આ એસટી બસના રૂટમાં ફેરફાર કરાતા સંજેલીના લોકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે. હાલમાં જે તે ડેપો દ્વારા દાહોદથી સીધી મેત્રાલ બસ બંધ કરીને ઝાલોદ સંજેલી મેત્રાલ રૂટ કરી દેવામાં આવેલ છે. પહેલા ના રૂટ મુજબ દાહોદથી સંજેલી મોરા મેત્રાલ તરફ આવા માટેની દાહોદથી આ છેલ્લી બસ હતી. તે મુસાફરો માટે ખૂબજ મદદરૂપ હતી. પરંતુ દાહોદ ડેપો અને ઝાલોદ ડેપોની આંતરિક ખેંચતાણમાં લોકોને અનુકૂળ એવી આ એસટીબસ અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરોમાં રોષ પણ ફેલાયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: