હત્યા કે આત્મહત્યા: ઝાલોદના ડુંગરીમા પતિ પત્નીના મૃતદેહ જુદા જુદા ઝાડ પર ઝુલતા મળ્યા, પોલીસની તલસ્પર્શી તપાસ શરૂ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

- ગ્રામજનોમાં સવાલ ઉઠ્યો કે કોઈએ હત્યા કરીને મૃત દેહ લટકાવી દીધા? આત્મહત્યા કરી તો જુદા જુદા ઝાડ પર કેમ કરી?
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામની ચકચાર ઘટના સામે આવી છે. જ્યાં ગામમાં અલગ અલગ ઝાડ ઉપર પતિ પત્નિની લાશ લટકતી જોવા મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને બન્નેના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છે.
આજરોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પતિ પત્નિની લાશ ઝાડ પર લટકતી જોવા મળી છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, પતિની લાશ અન્ય ઝાડ પર અને પત્નિની લાશ બીજા અન્ય ઝાડ પરથી લટકતી મળી હતી. પરિવારજનો પાસેથી જાણવા મળ્યા અનુસાર, આ દંપતિ ઘરેથી દેવળે જવાનું કહી નીકળ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં.
જ્યારે પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ પરિસ્થિતીનું નિરીક્ષણ કરી દંપતિના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી રહી છે. આ દંપતિના મોતને પગલે ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થવા માંડ્યાં છે. બીજી તરફ આ દંપતિ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હશે કે પછી કોઈકે તેઓની હત્યા કરી લાશને લટકાવી દેવામાં આવી હશે? જેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉદ્ભવવા પામ્યાં છે ત્યારે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ કર્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed