સર્વત્ર પાણી-પાણી!: ભોજેલામાં સિંચાઇની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં ખેતરો બેટમાં ફેરવાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફતેપુરા36 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભોજેલા ગામે સિચાઇ વિભાગની પાઇપ લાઇનમા ભંગાણ થતા ખેતરો બેટમા ફેરવાયા હતા.
- ખેતરો, તળાઈઓમાં પાણી ફરી વળતાં પાક બરબાદ થયો
- સરપંચ અને સિંચાઇ વિભાગ સ્થળ પર પહોંચી ગયાે હતાે
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાંથી પસાર થતી કડાણા સિંચાઇ વિભાગની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારના ખેડૂતોમાં પાણી ફરી વળતાં અંદાજીત 40થી 50 લાખનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સરપંચ અને સિંચાઇ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાંથી પસાર થતી કડાણા દાહોદ સિંચાઇ વિભાગની પાઇપલાઇનમાં વહેલી સવારે ભંગાણ થતા આખો વિસ્તાર પાણીમાં તરબોળ થઇ જવા પામ્યો હતો. ખેડૂતોના ખેતરો તળાઇઓમાં પાણી જ પાણી ફરી વળતા ઘઉં અને ચણાના પાકને ભારે નુકસાની થવા પામી છે. ભોજેલા ગામના કુમારખાઇ ફળિયાના વિસ્તારમાથી કડાણા દાહોદ સિંચાઇની પાઇપ લાઇન પસાર થઇ રહી છે. વહેલી સવારે આ લાઇનમાં અચાનક લીકેજ સાથે ભંગાણ સર્જાતા સિંચાઇનું પાણી આસપાસના 40થી 50 ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરમાં ઓરેલ ઘઉં અને ચણાના પાક નિષ્ફળ થઇ જવા પામ્યો હતો. બનાવની જાણ થતા ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાઇન રિપેર માટે અધિકારીઓને જાણ કરી હતી.
અમારા વિસ્તારના ખેડૂતોને અંદાજિત રૂપિયા 40થી 50 લાખનું નુકસાન
અમારા ગામમાથી પસાર થતી કડાણા દાહોદ સિંચાઇ લાઇનમા ભંગાણ થતા ખેતરામાં પાણી ફરી વળતા ખેતરોમાં ઓરેલ ઘઉં અને ચણાનો પાક બરબાદ થઇ ગયો છે. વિસ્તારના ખેડૂતોને અંદાજી 40થી 50 લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. લાઇન રિપેર કરવા તેમજ ખેડૂતોને થયેલ નુકસાનના વળતર માટે સિંચાઇ વિભાગના અધિકારીઓ, સરકારમાં રજૂઆત કરી છે. >હિતેશભાઇ પરમાર, સરપંચ ભોજેલા
નુકસાન થતાં સરકાર વળતર આપે
મારા ખેતરમાં પાણી ફરી વળતા ઓરેલા 15 મણ ઘઉં, 2 મણ ચણા બગડી ગયા છે. મને 70થી 80 હજારનું નુકસાન થયુ છે. જેનું સરકાર મને વળતર આપે. >મનાભાઇ લાલાભાઇ ચારેલ, ખેડૂત
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed