સંક્રમણ વધ્યું: દાહોદમાં કોરોનાના કેસ 2200ને પાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં કોરોનાના કેસ 2200ને પાર

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. આ નવા નોંધાયેલ કેસમાં દાહોદ શહેરના 7, ગ્રામ્યના 1, ઝાલોદ શહેરી વિસ્તારના 2 ગ્રામ્ય વિસ્તારના 3, અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારના અને ગરબાડાના 1-1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.30.11.’20 ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 487 સેમ્પલો પૈકી 11 અને રેપીડના 1428 સેમ્પલો પૈકી 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.

આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 15ને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયો છે. આમ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 184 થવા પામી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આજસુધી નોંધાયેલા કુલ 2206 દર્દીઓ પૈકી શહેરી વિસ્તારોના 1270ની સામે ગ્રામ્ય વિસ્તારના 800 દર્દીઓ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: