વિરહની વેદના: ઝાલોદના રણિયારમા પત્ની દોઢ વર્ષ થીપોતાના ઘરે ન આવતા પતિએ ગળા ફાંસો ખાઈ આયખુ ટુંકાવ્યું

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પત્ની ગઈ કાલે એક જ દિવસ સાસરીમા આવીને ચાલી જતા લાગી આવ્યું

ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે એક – દોઢ વર્ષથી પિયરમાં બેઠેલી પત્ની પોતાની સાસરીમાં આવતી ન હતી. જેથી મનમાં લાગી આવતા પરણિતાના પતિએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે રહેતા બળદેવસિંહ રૂપસીંગ કોળીની પત્ની પુષ્પાબેન એક – દોઢ વર્ષથી પોતાના સાસરીમાં જતી ન હતી. ગઈકાલેબેન એક માત્ર એક દિવસ માટે પોતાની સાસરી રનીયાર ગામે આવી હતી અને પાછી જતી રહી હતી. આ વાતનું મનદુઃખ થતાં પુષ્પાબેનના પતિ બળદેવસિંહને મનમાં લાગી આવતા તેણે દોરડા વડે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે પરિવારજનોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સંબંધે રણીયાર ગામે રહેતા અને પુષ્પાબેનની સાસુ વર્ષીય એવા ગંગાબેન રૂપસિંહભાઇ કોળીએ લીમડી પોલીસ મથકે જાણવાજોગ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: