વરવી વાસ્તવિકતા, ઓનલાઇન દેખાડો!: રેલમંત્રીનું ટ્વિટ, ‘રેલવે કૉચમાં 3 લાખ આઇસોલેશન બેડ તૈયાર કરાશે’, પણ ગુજરાતમાં 1 વર્ષથી 1100 બેડના રેલવે કોચ ધૂળ ખાય છે!
- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Railway Minister’s Tweet 3 Lakh Isolation Beds Will Be Prepared In Railway Coaches, Railway Coaches Of 1100 Beds In Gujarat Have Been Eating Dust For 1 Year.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા, રાજકોટ, દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલા કોચની ટ્રેન અને એની અંદરની સુવિધાઓની તસવીર
- વડોદરા , રાજકોટ સહિતનાં રેલવે સ્ટેશન પાસે 50 કોચ એક વર્ષથી નકામાં પડ્યા છે
- રાજ્ય તંત્ર કહે છે, અમારા અધિકાર ક્ષેત્રમાં નથી
- રેલવે ઓથોરિટીએ કહ્યું રાજ્ય સરકાર કહેશે ત્યાં કોચ મૂકીશું
ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે દર્દીઓને સમાવવા કોઈ હોસ્પિટલોમાં જગ્યા નથી ત્યારે રાજ્યના વડોદરા, રાજકોટ સહિતના વિવિધ રેલવે સ્ટેશન પર 50 જેટલા કોચમાં 1100થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે તેનો ઉપયોગ થઇ શકતો નથી.
Govt under PM @NarendraModi leading the fight against COVID-19: 50 COVID-19 isolation coaches with 800 beds ready at Shakur Basti Station & 25 coaches will be available at Anand Vihar Station in Delhi. Railways can setup >3 lakh isolation beds across the country on States’ demand pic.twitter.com/b9ehFnEgfI
— Piyush Goyal (@PiyushGoyal) April 18, 2021
રેલવે વિભાગઃ અમને પ્રશાસને કહ્યું હતું
એકતરફ રેલવે પ્રધાન પીયૂષ ગોહેલ દેશમાં 3 લાખ જેટલા આઇસોલેશન બેડ તૈયાર કરવાનું ટ્વીટ કરે છે ત્યારે ગુજરાતમાં તૈયાર પડેલા 50 જેટલા કોચનો જાણે કોઇ રણીધણી નથી. રેલવે વિભાગ કહે છે કે અમને રેલવે મંત્રાલયની સૂચના મળતા કોચ તૈયાર કરાયા હતા. અમારી પાસે કોચની જે સુવિધા છે એની જાણ વહીવટીતંત્રને કરી દેવાઈ છે, પરંતુ હજુ એમના તરફથી કોઈ કોચની જરૂરિયાત ઊભી થઇ હોવાનું જણાવ્યું નથી. રાજ્યમાં જ્યાં ઇમરજન્સી હશે ત્યાં આ કોચ મોકલાશે. કોચ તૈયાર કરાયાને એક વર્ષ થઈ ગયું છે પણ ઉપયોગ ન હોવાથી બંધ હાલતમાં છે.

ગુજરાતમાં 1 વર્ષથી 1100 બેડના રેલવે કોચ ધૂળ ખાય છે
દાહોદ વર્કશોપમાં 20 આઇસોલેશન કોચ બન્યા પરંતુ હાલ એક પણ નથી
પશ્ચિમ રેલવે ઝોનમાં રતલામ ડિવિઝનના 90 સહિત 480 સ્લીપર કોચને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરાયા હતાં. રતલામ ડિવિઝનમાં 63 કોચ સહિત પશ્ચિમ રેલવેમાં 369 કોચને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરાયા હતા. જેમાં દાહોદ વર્કશોપમાં 20 આઇસોલેશન કોચ બનાવવામાં આવ્યા હતાં. દાહોદના વર્કશોપના અધિકારી વિનયકુમારે જણાવ્યુ હતું કે, હાલ દાહોદ ખાતે એક પણ આઇસોલેશન કોચ નથી.

કોચની અંદરની વ્યવસ્થા
રાજકોટ જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ રાજકોટને ઓક્સિજન બેડની ખાસ જરૂર છે, કોચમાં ઓક્સિજન લાઈન નથી અને તેટલા દર્દીઓને સિલિન્ડર પર રાખવા શક્ય નથી એટલે કોચનો ઉપયોગ કર્યો નથી. ઓક્સિજનની જરૂરિયાત વગરના દર્દી માટે CCC ની ઘણી વ્યવસ્થા છે અને તે ખાલી છે.

કોચની અંદરની વ્યવસ્થા
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More


Comments are Closed