રોજગારી અંગે માર્ગદર્શન: દાહોદ જિલ્લાના રોજગારવાંછુ યુવાનો માટે કોલ સેન્ટરનો પ્રારંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ફોન પર રોજગારી અંગે માર્ગદર્શન મળશે
રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનો માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફોન કરવાથી દાહોદ જિલ્લામાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી મળશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો તેમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ જોડાયા હતા.
દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર 63-57-390-390 ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે. રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed