નલ સે જલ યોજના: સંજેલીના 4 ગામોના 1572 ઘરોમાં પીવાનું પાણી પહોંચશે, ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- 1.88 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું આયોજન
સંજેલી તાલુકાના 4 ગામોના 1572 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત ઘર દીઠ ચોખ્ખું પાણી પહોંચાડવાની યોજનાને કલેક્ટર વિજય ખરાડી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ 4 ગામોમાં ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામનો સમાવેશ થાય છે.
આ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ. 1.88 કરોડના ખર્ચે આ યોજના વાસ્મો દ્વારા સાકાર કરવામાં આવશે. ગત અઠવાડીયે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠકમાં નલ સે યોજના હેઠળ વર્ષ 2020-21ના એકશનપ્લાન અંતર્ગત આ યોજના રજૂ કરવામાં આવી હતી. જેને સંજેલી તાલુકાના આ 4 ગામોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
Related News
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કેદી ફરાર: દાહોદની ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે લવાયેલો કેદી પોલીસની નજર ચુકવી ફરાર થઇ ગયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
Comments are Closed