દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડિજિટલ ઉજવણી
- ઝાલોદ અને ગરબાડામાં આદિવાસી વીર શહીદોને યાદ કર્યા
દિવ્ય ભાસ્કર
Aug 10, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ જિલ્લાના ઝાલોદમાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ગરબાડામાં રાજય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણી સાથે સાથે ડિઝિટલ માધ્યમથી જોડાઇને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી.
સાંસદ જસવંતસિંહ ભાભોરે આદિવાસી અસ્મિતા માટે શહીદ થનારા ગોવિંદ ગુરૂ અને વીર બિરસા મુંડાને પુષ્પાજંલી આપી યાદ કર્યા હતા.કડાણામાંથી દાહોદને પાણી આપવા માટે ૧૧૦૦ કરોડ મંજૂર કર્યા છે. હાંફેશ્વર યોજના પણ ઝડપથી પૂરી થવામાં છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ગરબાડામાં કહ્યું કે વિશ્વ આદિવાસી દિન આદિવાસીઓની સંસ્કૃતિની આગવી પહેચાન છે. બંને સ્થળે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, રમતવીરોનું સન્માન ,વનબંઘુ ઉદ્યોગ સાહસીને લોન સહાયની મંજૂરી પત્રનું વિતરણ, વિવિધ યોજનાના મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતાં.
Related News
તકેદારીના પગલાં: દાહોદ જિલ્લામાં પ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર ઝાલોદમાં ખુલશે, ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે માન્યતા અપાઇ
Gujarati News Local Gujarat Dahod First Private Covid Care Center To Open In Jhalod InRead More
ફફડાટ: દાહોદ પાસે પાવડી એસઆરપી ગ્રુપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર, તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed