દાહોદ ખાતે આજે આદિવાસી કલચરલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું
HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય શહેર અને જિલ્લા મથક ખાતે આજે વર્ષો જૂની આદિવાસી લોકો ની માંગ હતી કે દાહોદ જિલ્લામાં એક સરસ આદિજાતિ કલચરલ અને કોમમ્યુનિટી હોલ બનાવવામાં આવે। આ લાગણી ને દાહોદ નગર પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખે ધ્યાન માં રાખી અને દાહોદ શહેર ની મધ્યમાં આવેલ રૂપિયા 25 કરોડ રૂપિયા જેટલી કિંમત ની આ જગ્યા ફાળવી દીધી હતી પરંતુ આ જગ્યામાં ભૂતકાળમાં ગૌશાળા ચલાવમાં આવતી હતી. આ ગૌશાળાને દાહોદ નગર પાલિકાના તત્કાલીન પ્રમુખ સંયુક્તાબેન મોદીએ ઠરાવ કરીને એક એકર જગ્યા ગૌશાળાને ફાળવી આપી હતી. અને આ ગૌ શાળા ત્યાં બની ગયા પછી અહીં આદિવાસી ભવન ની કામગીરી શરુ કરવાં આવશે. દાહોદ કલચરલ કોમમ્યુનિટી હોલ માટે દાહોદ સીટી ગ્રાઉન્ડ ની પાસે આવેલ સર્વે ન. 91/1 પૈકીની કુલ 4353 ચોરસ મિટર જમીન ફાળવવામાં આવેલ છે, જેનું બંધ કામ આદિવાસી લોકો માટે કરવામાં આવનાર છે, ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ ના ઠરાવ ક્રમાંક 102016 – ન.બા.18ઘ, તારીખ 21-04- 16 અન્વયે દહાડો જિલ્લા ખાતે કલચરલ હોલ ના બાંધકામ માટે રૂ.263.10 લાખ ની જોગવાઈ પૈકી રૂ,87,70 લાખ ની નવી બાબત ની વહીવટી મંજૂરી મળેલ છે.
આજે આ ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લાના તમામ આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા. અને તેઓમા ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.
Related News
દાહોદમાં ગઈ કાલથી વલ્લભ સાખી રસપાનનો ધૂમધામથી થયો પ્રારંભ
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯Read More
દાહોદમાં આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મીRead More
Comments are Closed