દાહોદમાં તાપ નીકળતાં વરસાદજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના ઘટી

દાહોદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવામાં 85 % ભેજ સાથે પવનની ગતિ 20 કિમી/ કલાકની નોંધાઈ હતી. તો સવારથી જ વાતાવરણ ઉઘડેલું રહેતા દિવસભર સરસ તાપ પણ નીકળ્યો હતો જેને લઇને શહેરમાં ગટરો ઉભરાતા સર્જાયેલા ગંદકીના ઢગ પણ સુકાવા પામ્યા હતા અને વરસાદજન્ય જે ભીનાશ હતી તે પણ સૂકાતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ ઓછી થતા લોકો ખુશ જોવા મળ્યા હતા. તાલુકામાં સિઝનના સરેરાશ 25 થી 27 ઇંચ વરસાદની સામે આ વર્ષે 17 ઈંચ વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષે આ તારીખ સુધીમાં 666 મીમી એટલે કે 27 ઇંચ જેટલો નોંધાઈ ચુક્યો હતો.

0






Related News

Comments are Closed

%d bloggers like this: