ખેડૂતોમાં ખુશી: કાલીયાહિલ સિંચાઇ નહેરમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશી છવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિયાળુ પાકનો સમય થયો છતાં નહેરમાં પાણી ન આવતાં ચિંતાનો વિષય

સંજેલી તાલુકાના કાલીયાહેલ સિંચાઇ તળાવમાંથી ટીસાના મુવાડા સંજેલી પ્રતાપપુરા સહિતના ખેડુતોને સિંચાઇ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ ટીસાના મુવાડા ગામે નહેર પરના રસ્તાના વિવાદને લઈને આ વખતે નહેરમા શિયાળુ પાકનો સમય થઈ ગયો છતાં પણ નહેરમાં પાણી ન આવતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો.જે બાદ કેટલાય ખેડુતોએ નહેર શરૂ કરવાની માંગને લઇને સિંચાઇ વિભાગને વારંવાર રજુઆત કરવા છતાં પણ શરૂ ન કરાતાં ખેડૂતોનું શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતીના દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

જે બાદ સફાળા જાગેલા વહીવટીતંત્રએ તાત્કાલિક નહેર શરૂ કરાતાં નહેરમાં શિયાળો નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખેડુતો શિયાળુ વાવણી કરવામાં જોતરાઈ ગયાં હતાં.ત્યારે સિંચાઇ વિભાગ નહેરની સાફસફાઇ કર્યા વગર જ તાત્કાલિક પાણી શરૂ કરી દેવામાં આવ્યું છે.

પોલીસે કાર્યવાહીની વાત કરતાં નહેર ખુલ્લી કરી
સિંચાઈ વિભાગ દ્વારા પોલીસ મથકે આપેલી અરજી તેમજ દિવ્ય ભાસ્કરમાં આવેલ સમાચારને આધારે પોલીસે સ્થળ પર જઇ કાર્યવાહીની વાત કરી હતી. જેથી સ્થાનિકોએ તાત્કાલીક નહેર ખુલ્લી કરી દીધી હતી. જે બાદ અમારા કર્મચારીએ નહેર શરુ કરી દીધી હતી. >કિશોરભાઈ વસૈયા,સિંચાઇ અધિકારી, સંજેલી






Related News

Comments are Closed

%d bloggers like this: