કોરોના મહામારી: દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિ.માં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા
શનિવારે પણ દાહોદના 6 સહિત જિલ્લામાં કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા હતા. દાહોદ તાલુકાના 4, ઝાલોદના 4 અને ગરબાડાના 1 દર્દી પોઝિટિવ જાહેર થયા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલ Rtpcr ટેસ્ટના 332 સેમ્પલો પૈકી 2 અને રેપિડ ટેસ્ટના 1484 સેમ્પલો પૈકી 9 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા હતા. દાહોદ જિલ્લામાં અત્યારમાં સુધી જાહેર થયેલ 1852 પોઝિટિવ દર્દીઓ પૈકી અર્બન એટલેકે શહેર વિસ્તારના 1141 દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારના 711 દર્દીઓ નોંધાયા છે.
આ સાથે સાજા થયેલા 3 દર્દીઓને શનિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ જિલ્લાના કુલ 11 પૈકી દાહોદના 9 દર્દીઓ નોંધાયા હતા. જેને લઈને શહેરી વિસ્તારોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed