કોરોના મહામારી: દાહોદજિલ્લાના શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- રવિવારે દાહોદ, ઝાલોદ અને બારિયામાં 10 કેસ જિલ્લામાં કુલ 18 કેસ આવ્યા
દાહોદ શહેરમાં ડિસેમ્બર માસમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં તેણે પોતાની પકડ ફરીથી મજબૂત બનાવી છે. દાહોદ જિલ્લામાં રવિવારના રોજ 18 કેસ પ્રકાશમાં આવ્યા હતાં. આ કેસોમાં આઠ કેસ દાહોદ શહેરના હતાં. આ સાથે ઝાલોદ શહેરી વિસ્તારનો એક અને ગ્રામ્ય વિસ્તારના એક કેસ સાથે દેવગઢ બારિયા શહેરી વિસ્તારનો પણ એક કેસ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત ગરબાડાના બે, ધાનપુરના ચાર અને ફતેપુરાનો એક કોરોના પોઝિટિવ કેસ જાહેર કરાયો હતો. રવિવારના રોજ સાજા થયેલા 19 લોકોને રજા આપવામાં આવી હતી.
ઝાલોદમાં 5 દુકાનો સીલ કરી
ઝાલોદમાં કોરોનાના વધતા કેસો અને સપ્તાહમાં સેનિટાઇઝ માટે વાણિજ્ય સેવાઓ બંધ રાખવા અપીલ કરી હતી. જેમાં રવિવારેે તંત્રની તપાસ દરમિયાન વધુ 5 દુકાનો ખુલ્લી જોવા મળતા સીલ કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed