કોરોના બેકાબૂ: દાહોદ જિલ્લામાં શુક્રવારે નવા 11 કોરોના સંક્રમિત નોંધાયા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 46 થવા પામી
દાહોદ જિલ્લામાં દિવાળી પૂર્વે એકસાથે 11 કેસ નવા નોંધાતા શહેર સહિત જિલ્લામાં ગભરાટ ફેલાયો છે. તાલુકાના 9 સહિત ઝાલોદ તથા ફતેપુરાના 1 -1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. ટેસ્ટના 264 સેમ્પલો પૈકી 3 અને રેપીડના 1434 સેમ્પલો પૈકી 8 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શુક્રવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી સાજા થઈ ચુકેલા વધુ 5 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 46 થઇ છે. ઉલ્લેખનીય છે કે તા.8-10ના રોજ આવેલ 15 કેસ બાદ જિલ્લામાં કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો ત્યારે લગભગ એક માસ બાદ ફરી એકવાર બે આંકડામાં કોરોના સંક્રમિતો નોંધાતા ખાસ કરીને શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો. દિવાળી નજીકમાં છે ત્યારે કેસની સંખ્યા દરરોજ ઘટતી જતી હોઈ લોકોમાં રાહતની લાગણી વ્યાપી હતી.અચાનક જ શુક્રવારે ફરીથી 11 કેસ આવતા અનેક લોકો નિશ્ચિત બની બેફિકરાઈથી હરવા-ફરવામાં કોઈ કમી નથી રાખતા તો સાથે દિવાળી ટાણે દર વર્ષની માફક અન્યત્ર સેટ થયેલા લોકો મોટી સંખ્યામાં આવશે અને સાથે સાથે તે સમયે ઠંડીનું જોર પણ વધશે ત્યારે તો દાહોદમાં હજુ કોરોના ફેલાશે કે શું તેવી ચર્ચાઓએ જન્મ લીધો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More


Comments are Closed