કોરોના કાબૂમાં: દાહોદ જિ.માં કોરોનાના નવા 10 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 100 થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

બુધવારે દાહોદ જિલ્લાના કોરોના સંક્રમિતોની સંખ્યા 2700 ને લગોલગ પહોંચવા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં કુલ નોંધાયેલા નવા 10 કેસ પૈકી દાહોદ શહેરના 5 કેસ સાથે ઝાલોદ ગ્રામ્યના 2 અને ઝાલોદ અર્બન, લીમખેડા અને ફતેપુરાના 1 -1 કેસ દર્દી હોવાનું નોંધાયું હતું. તા.6.1.’21 ને બુધવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 300 સેમ્પલો પૈકી તમામ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જયારે કે રેપીડના 669 સેમ્પલો પૈકી એકેય દર્દીઓ પોઝિટિવ નહીં હોવાનું સામે આવ્યું હતું. આ સાથે હવે દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા 13 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 100 થઇ છે.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed