કોરોનાનો વધતો કહેર: દાહોદ જિલ્લામાં સાગમટે 6 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

શનિવારે દાહોદ જિલ્લામાં કોરોનાના 6 નવા સંક્રમિત નોંધાતા કોરોના સંક્રમણનો વ્યાપ પુન: વધતા લોકોમાં ગંભરાટ વધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર તા.13.3.’21 ને શનિવારે જાહેર થયા મુજબ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 490 સેમ્પલો પૈકી તમામ 6 કેસ નોંધાયા હતા. તો રેપીડના તમામ 681 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ 6 કેસ પૈકી દાહોદ શહેર અને ગ્રામ્યના 2 -2 અને દેવગઢ બારીયા ગ્રામ્ય અને ગરબાડાના 1- 1 વ્યક્તિઓ પોઝિટિવ નોંધાયા હતા.

આ સાથે જિલ્લામાં હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 30 થઇ છે. અલબત્ત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ હાલમાં પણ ભરચક હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર અને જિલ્લા સિવાય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારના કોરોનાગ્રસ્તો દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર પામી રહ્યાં છે. તો સાથે જ દાહોદના સ્થાનિકો, પ્રાઈવેટ હોસ્પિટલમાં જ ટેસ્ટ કરાવી પોઝિટિવ આવ્યે ખાનગી સારવાર કરાવી લેતા ‌હોઈ કોરોના‌ સંક્રમણ વધ્યું હોવા છતાં સરકારી ચોપડે તેની નોંધ નથી લેવાતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: