કાર્યવાહી: દાહોદમાં વેચાતું ધાણા દાળનું પેકેટ મિસબ્રાન્ડેડ નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ઉત્પાદક-વેપારીને દંડ ફટકારાયો
દાહોદ શહેરમાં મીસબ્રાંડેડ ફૂડ પેકેટનું વેચાણ કરતા પડાવ રોડ પરના આર્શીવાદ એન્ટરપ્રાઇઝને ગુરુવારે એજયુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ રૂ.2000નો દંડ કર્યો છે. આ ઉપરાંત ઉત્પાદક પેઢીને પણ રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દાહોદ નગર પાલિકાના ફૂડ સેફટી ઓફીસર પી.આર. નગરાલાવાલાએ દાહોદ શહેરના બહારપુરા ખાતે આવેલી આર્શીવાદ એન્ટરપ્રાઇઝ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં ધાણાદાળનું 50 ગ્રામનું પેકેટ ભૂજ ખાતેની લેબરોટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યું હતું. આ પેકેટ મીસબ્રાંડેડ હોવાનું જણાયું હતું. નિયમ મુજબ પેકેટ ઉપર FSSAIનો લોગો છાપેલો હોવો જોઇએ. તેમજ પેકીગ ઉપર ન્યુટ્રીશન ચાર્જ હોવો ફરજીયાત છે.
જે આ પેકી.ગ પર ન હોવાથી ઉત્પાદક તેમજ વિક્રેતાને દંડ ફટકારવામાં આવ્યો છે. ધાણાદાળના ઉત્પાદક માલીક ચંપકલાલ શિવરતન કસાટને પણ રૂ.૨૫ હજારનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આર્શીવાદ એન્ટરપ્રાઇઝના અનમોલકુમાર પટેલને પણ રૂ.2000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed