કામગીરી: જિલ્લામાં અધિકારીઓ-કર્મીઓની મહિનાના અંત સુધીની રજાઓ રદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ રોકવા ટીમ બનાવીને કામગીરી સોંપાઇ
  • 14 દિવસના હોમ આઇસોલેશનનું ફરજિયાત પાલન

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ કોરોનાની ચેઇન તોડવા માટે તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ આ મહિનાના અંત સુધી રદ કરી છે. કોરોનાને રોકવા માટે વિવિધ વિભાગોને અલગ અલગ ફરજ સોંપી છે તેનું ચુસ્તતાથી અમલ કરવા જણાવ્યું છે.

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આગામી શનિવાર –રવિવાર તેમજ તેના પછી પણ રજાઓ આવતી હોય દરેકે દરેક કચેરી, ખાસ કરીને રેવન્યુ, પોલીસ અને આરોગ્ય તંત્ર તેમજ બાકીના જેટલા પણ વિભાગો છે તેમની રજાઓ રદ કરવામાં આવે છે. આ સૌ અધિકારીઓ-કર્મચારીઓને કોવીડ મેનેજમેન્ટ માટે ડ્યુટીની ફાળવણી કરવામાં આવે છે. આ ડ્યુટીની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિચ્છિંત કરવાનું છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે તેની સાથે ટેસ્ટીંગ અને સર્વેની કામગીરી પણ સધનતા સાથે કરી છે. ટેસ્ટીંગ અને સર્વેલન્સમાં જે લોકો પોઝિટિવ આવ્યા હોય તેમણે પોતાના કન્ટઇનમેન્ટ વિસ્તારમાં જ રહેવાનું છે અને 14 દિવસનો હોમ આઇસોલેશનનો સમય પૂરો કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: