કામગીરી: જિલ્લામાં અધિકારીઓ-કર્મીઓની મહિનાના અંત સુધીની રજાઓ રદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કોરોના સંક્રમણ રોકવા ટીમ બનાવીને કામગીરી સોંપાઇ
- 14 દિવસના હોમ આઇસોલેશનનું ફરજિયાત પાલન
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ કોરોનાની ચેઇન તોડવા માટે તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ આ મહિનાના અંત સુધી રદ કરી છે. કોરોનાને રોકવા માટે વિવિધ વિભાગોને અલગ અલગ ફરજ સોંપી છે તેનું ચુસ્તતાથી અમલ કરવા જણાવ્યું છે.
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આગામી શનિવાર –રવિવાર તેમજ તેના પછી પણ રજાઓ આવતી હોય દરેકે દરેક કચેરી, ખાસ કરીને રેવન્યુ, પોલીસ અને આરોગ્ય તંત્ર તેમજ બાકીના જેટલા પણ વિભાગો છે તેમની રજાઓ રદ કરવામાં આવે છે. આ સૌ અધિકારીઓ-કર્મચારીઓને કોવીડ મેનેજમેન્ટ માટે ડ્યુટીની ફાળવણી કરવામાં આવે છે. આ ડ્યુટીની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિચ્છિંત કરવાનું છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે તેની સાથે ટેસ્ટીંગ અને સર્વેની કામગીરી પણ સધનતા સાથે કરી છે. ટેસ્ટીંગ અને સર્વેલન્સમાં જે લોકો પોઝિટિવ આવ્યા હોય તેમણે પોતાના કન્ટઇનમેન્ટ વિસ્તારમાં જ રહેવાનું છે અને 14 દિવસનો હોમ આઇસોલેશનનો સમય પૂરો કરવાનો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed