કર માફીની માગ: દાહોદના વેપારીઓનો 50 % મિલકતવેરો અને 3 માસનુ ભાડુ માફ કરવા AAPની માંગ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- લોકડાઉન અને કોરોનાકાળમા વેપારીઓ આર્થિક રીતે પાયમાલ છે-AAP
આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફરી એકવાર પ્રજાનો અવાજ, પ્રજાની માંગ ને દાહોદ નગરપાલિકાના સત્તાધીશો સુધી પોહચડવામાં આવ્યોહતો. છેલ્લા 18 મહિનાથી સમગ્ર દેશ- દુનિયા અને ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દાહોદનગર પણ તેનાથી બાકાત રહી શક્યુ નથી.
આ કપરા સમયમાં જિલ્લામાં અને દાહોદ નગરપાલિકા હદમાં લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યા બાદ ઘણા સમય સુધી મર્યાદિત સમયગાળા માટે ધંધા રોજગાર માટે છૂટ મળતી હતી. જેના કારણે વ્યાપારીઓ તેમજ નગરજનો આર્થિક રીતે પાયમાલ થયા છે. આથી દાહોદના નગરજનો અને વ્યાપારી વર્ગ ને આ કપરા સમયમાં રાહત આપવી એ નગરપાલિકા ની નૈતિક ફરજ બને છે.
આ અનુસંધાને દાહોદ નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને મિલકત વેરામાં 50% તેમજ નગરપાલિકા હસ્તક દુકાનોનું 3 મહિનાનું ભાડું માફ કરવામાં આવે એ માંગ કરતું આવેદન પત્ર નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર અને દાહોદ પ્રાંત અધિકારી ને આમ આદમી પાર્ટી દાહોદ ની આગેવાની માં દાહોદ નગરના વ્યાપારી મિત્રો અને દાહોદ નગરના જાગૃત નાગરિકો ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed