અંતિમ વિદાય: સુખસરમાં મૃતક પિતાને દીકરીએ કાંધ આપી, અંતિમ સંસ્કાર કરી પુત્ર ધર્મ બજાવ્યો
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- ચાર દીકરીઓ પૈકી એક દીકરી કેનેડા રહેતા ત્રણ દીકરીઓ અંતિમ સંસ્કારમાં હાજર રહી
ફતેપુરા તાલુકાના સુખસરમાં બ્રાહ્મણ પરિવારના એક સજ્જન કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. તેમને દીકરીએ કાંધ આપી મુખાગ્નિ આપી પોતાની ફરજ અદા કરી હતી.
દીકરીએ પિતાને કાંધ આપી
ફતેપુરા તાલુકાના સુખસર મેઇન બજાર ખાતે રહેતા સાધુ દિલીપભાઈ શાંતિલાલભાઈ એસ.ટી ખાતામાં ખંભાત ડેપોમાં નોકરી કરતા હતા. જેઓ થોડા સમયથી બીમાર હોવાથી પથારીવશ હતા. જેઓને ઝાલોદ બાદ વધુ સારવાર માટે ગોધરા લઈ જતા સમયે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. જેઓને પરત ઘરે લઈ આવવામાં આવ્યા હતા.
દીકરાની ખોટ દીકરીએ પૂરી કરી
દિલીપભાઈને સંતાનમાં ચાર પુત્રીઓ છે. અને આ તમામ પુત્રીઓનાં લગ્ન પણ થઈ ગયેલા છે. જોકે એક પુત્રી કેનેડામાં પણ રહે છે. જ્યારે અન્ય દીકરીઓ ગુજરાતમાં હોય સુખસર આવેલ હતી. ત્યારે દીકરીએ પિતાને કાંધ આપી હતી અને મુખાગ્નિ પણ દીકરીએ આપી હતી. આમ દીકરાની ખોટ દીકરીએ પૂરી કરી હોવાનું જાણવા મળે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed