dahodonline

 

ક્રાઇમ: સરસવાપૂર્વના 5 સંતાનના પિતાએ 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું

સુખસર4 કલાક પહેલા કૉપી લિંક પટાવી ફોસલાવીને તા.10ના રોજ અપહરણ કરી ગયો હતો દાહોદ જિલ્લામાં સગીરાઓ તથા પુખ્ત વયની મહિલાઓને અપહરણનો શિકાર બનાવી ભગાવવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં સમાધાન કરાવી લેવાતા પ્રકાશમાં આવતા નથી. ફતેપુરા તાલુકાની 16 વર્ષ 1 માસની સગીરાનું તા.10 જુલાઈના રોજ ઘરેથી ફોઈના ઘરે જવાનું જણાવી નીકળ્યા બાદ સરસવાપૂર્વ ગામના 5 સંતાનના પિતા શાંતિલાલ ડામોરે લલચાવી, પટાવી, ફોસલાવીને અથવા તો ધાક-ધમકી આપી તેના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ સગીરાના પિતાને જાણ થતા સરસવા પૂર્વ ગામેRead More


અકસ્માત: નાનસલાઇમાં કારની ટક્કરે રેકડો પલટી ખાતાં અંદર બેસેલ 1નું મોત

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક 4થી 5 લોકોને ઇજા : અજાણ્યા કાર ચાલક સામે ગુનો નાનસલાઇ ગામે કારની ટક્કરે રેકડો પલટી ખાતા અંદર બેસેલા 50 વર્ષિય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને મોઢાના ભાગે તેમજ હાથે ઇજા તથા પાંસળીના ભાગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી. સારમારીયા ગામના બાબુભાઇ મેડા, રાજુભાઇ મેડા, કડકીયાભાઇ કામોળ, હરસીંગભાઇ કામોળ, સામાભાઇ મુનીયા, પ્રદીપભાઇ મુનીયા શુક્રવારે સવારે રેકડામાં બેસી ઝાલોદ ખાતર લેવા ગયા હતા. બાદ બપોરે ખાતર લઇ રેકડો લઇ પરત આવતાં હતા. ત્યારે નાનસલાઇ ગામે કારના ચાલકે પૂરઝડપે હંકારી લાવીRead More


ક્રાઇમ: ‘તળાવની તૂટેલી પાળ પુરતા કેમ નથી’ કહી કુટુંબીનો લાકડીથી હુમલો

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક મારામારીને અંજામ આપનારા ચાર લોકો સામે ગુનો ભીટોડીમાં કુટુંબીના ઘરે જઇ ઉહરીવાળી તળાઇની તુટેલી પાળ પુરતા કેમ નથી કહી ઉશ્કેરાઇ જઇ લાકડી મારી એકને હાથના કાંડા ઉપર તથા ડાબા પગે મુંઢ ઇજા કરી હતી. આ વખતે છોડાવવા વચ્ચે પડેલા બેને પણ માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. 4 લોકો સામે કતવારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ભીટોડીના દિલીપ મના ડામોર ગુરૂવારના રોજ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં તેમના કુટુંબી વિનોદભાઇ ટીટુભાઇ ડામોરના ઘરે જઇ ગાળો બોલવા લાગેલ અને ઘરના દરવાજાને લાત મારી ઉહરીવાળીRead More


સ્વચ્છતા માટે સુવિધા: દાહોદને સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં ડોર ટુ ડોર કચરા કલેકશન માટે 14 નવા વાહનો મળ્યા, મંત્રી અને સાંસદના હસ્તે લોકાર્પણ કરાયુ

દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક સુકો અને ભીનો કચરો જુદો લઇ જવાનો હોવાથી શહેરીજનોએ પણ કચરો જુદો જુદો આપવો પડશે દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આજે 14 નવા વાહનો ફળવાયા હતા. જેમાં બીનો કચરો અને સુકો કચરો જુદો જુદો લઇ જવાની વ્યવસ્થા છે. આ વહનોને સાંસદ અને રાજ્યમંત્રીના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યુ છે.આ પ્રસંગે ભાજપાના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેરમાં હાલમાં સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.તેને કારણે શહેરીજનોને અસુવિધાનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારેRead More


તૈયારી: 2022માં વિધાનસભાની ચૂંટણીમાં BTP 100થી વધુ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે

વડોદરા3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની મિટિંગ. ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ આદિવાસીઓ માટે નથી લડતાઃ MLA મહેશ વસાવા અમે આદિવાસીઓના હક્ક માટે લડીશું અને જીતી બતાવીશું: મહેશ વસાવા વિધાનસભાની ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચારો શરૂ કરી દીધા છે. ત્યારે ભાજપ સરકાર હોય કે પક્ષના કાર્યક્રમોમાં પ્રચાર કરે છે. જ્યારે કોંગ્રેસ પણ હાલ જાગી છે અને આપે તો રાજ્યભરમાં યાત્રા કાઢી છે. ત્યારે હંમેશા આદિવાસીઓના હક્કો બંધારણીય હક્કો માટે લડતા અને આદિવાસી નેતા ગણાતા છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી આRead More


મારનુ કારણ મોબાઈલ: ધાનપુરના ભુવેરોમા સગીરાઓએ મોબાઈલ પર વાત કરતાં ગામ લોકોએ સગીરાઓ અને પરિવારજનોને ઢોર માર માર્યો

દાહોદએક કલાક પહેલા ગામ લોકોએ ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ આ ઘટનાનાનો વીડિયો વાયરલ થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભુવેરા ગામે ફરીવાર ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં બે સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ સગીરાઓ મોબાઈલ ફોનથી વાતચીત કરતાં નજરે પડતાં ગામમાંજ રહેતાં 15 થી વધુ લોકોના ટોળાએ બંન્ને સગીરાઓ તથા તેમના પરિવારજનોને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી અપમાનિત કરી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. જોકે, આ ઘટનાનાનો વીડિયો વાયરલ થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ગત તા.25મી જુનના રોજRead More


ગરીબ જનતા સાથે અન્યાય: ​​​​​​​ફતેપુરા તાલુકામા વાજબી ભાવના દુકાનદારો ઓછો જથ્થો આપતા હોવાની કલેક્ટરને રજૂઆત

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક કેટલીયે ફરિયાદો છતા કાર્યવાહી ન થતા આદિવાસી ટાઈગર સેનાએ રુબરુ આવેદન આપ્યુ ફતેપુરા આદિવાસી ટાઈગર સેનાએ સરકારી સસ્તા અનાજની દુકાનોના ભ્રષ્ટાચાર બાબતે કલેકટરને રજૂઆત કરી છે. ચાર વખત મામલતદાર ફતેપુરા તથા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ ને લેખીત ફરિયાદ અને અનેક વખત રુબરુ રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આવતા આજે કલેકટરને રુબરુ મળી ફરિયાદ કરી હતી. ફતેપુરા તાલુકા ઉપરાંત આખા દાહોદ જિલ્લામાં સરકારી દુકાનોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ના મેળાપીપણાથી ચાલતા ભ્રષ્ટાચારથી ગરીબ આદિવાસી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા નિયત રાશનRead More


હાશકારો: લીમખેડાના ખીરખાઈમા ગેસનો બોટલ લીકેજ થતા આગ લાગી પરંતુ કોઈ  ઈજા કે જાનહાનિ ન થઈ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાણીનો મારો ચલાવી સ્થાનિકોએ જ આગ બુઝાવી દીધી આગ લાગતા વિસ્તારમા દોડધામ મચી ગઈ દાહોદ જિલ્લાના ખીરખાઈ ગામે રાંધણ ગેસનો બોટલ અચાનક લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી.જેથી ઘર સહિત વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ ખીરખાઈ ગામે એક કાચા રહેણાંક મકાનમાં ઘરના મોભી જમવાનું બનાવતાં હતાં. આ દરમ્યાન અચાનક રાંધણ ગેસનો બોટલ લીકેજ થતાં જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ વિસ્તારમાંRead More


રોષ: વોર્ડ 3માંથી કાઉન્સિલરોએ ભગાડ્યા તો વરસાદી પાણીની લાઇન નાંખવા સ્ટેશન રોડ ખોદી નાંખ્યો

દાહોદ39 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં ચાલુ ચોમાસે ભરચક રોડ પર કામગીરી શરૂ કરવામાં આવતાં લોકોમાં રોષ દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર શુક્રવારે વહેલી સવારથી જ જે.સી.બી. અને હિટાચી જેવા તોતિંગ મશીનો ગોઠવીને વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ નાંખવા માટેની કાર્યવાહી આરંભતા આસપાસના લોકોમાં જયારે દાહોદમાં ચોમાસું વ્યવસ્થિત આરંભાયું છે ત્યારે જ આ વિસ્તારમાં કાર્યવાહી શરુ કરતા અચરજ ફેલાયું હતું. દાહોદમાં આગાહી મુજબ જો આગામી ત્રણ દિવસ મોટો વરસાદ નોંધાશે તો અત્રે પાઈપ નાંખવાની કાર્યવાહી બાદ રસ્તા ઉપર માટીના ઢગલાથી સમગ્ર વિસ્તારમાં કાદવ- કીચ્ચડ થશે અને નાના મોટા અકસ્માત થશેRead More


કોરોના અપડેટ: મહીસાગરમાં સતત 33માં દિવસે શૂન્ય કેસ

લુણાવાડા44 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર એક પણ દર્દી સારવાર હેઠળ નથી મહીસાગર જિલ્‍લામાં સતત 33મા દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝીટીવ નોધાયા છે. હાલ જિલ્‍લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. દાહોદ જિ.માં 1 કેસ નોંધાયોદાહોદ. દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ એક કેસ નોંધાયો હતો. તા.23.7.’21 ને શુક્રવારે Rtpcr ટેસ્ટના 1931 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવRead More