કોરોના બેકાબુ: ઝાલોદના 17 સહિત જિ.માં નવા 23 કોરોના સંક્રમિત નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- વધુ એક દર્દી સાથે કુલ 79 મૃત્યુ નોંધાયા
દાહોદ જિલ્લામાં કોરોનાનો આંક સતત વધતા નવા 23 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 350 સેમ્પલો પૈકી 20 અને રેપીડના 1537 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ કેસમાં દાહોદ શહેરના 4, ઝાલોદ અર્બનના 6 અને ગ્રામ્યના 11, દે.બારીયા ગ્રામ્યના અને ગરબાડાના 1-1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ સાથે ગુરુવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 9 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરીથી સતત વધતા 195 થવા પામી છે. કુલ 2089 દર્દીઓ પૈકી બુધવારે દાહોદના વિહિપના અગ્રણી રાકેશભાઈ મિસ્ત્રીના મૃત્યુ સાથે અત્યાર સુધીમાં કુલ 79ના મરણ થયા છે. જિલ્લાના શહેરી વિસ્તારોના કેસની સંખ્યા 1304 અને ગ્રામ્ય વિસ્તારના કેસોની સંખ્યા 824 થવા પામી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed