વિવાદ: ગલાલીયાવાડમાં ત્રાસ આપતાં પતિ વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તુ ગમતી નથી કહી મારકૂટ કરતો હતો, દોઢ મહિનાથી ઘરમાંથી કાઢી મૂકી હતી

દાહોદના ગલાલીયાવાડમાં શારીરિક અને માસિક ત્રાસ આપી અવાર નવાર મારકુટ કરી અને છેલ્લા દોઢ માસથી ઘરમાંથી કાઢી મુકતા 25 વર્ષીય પરિણિતાએ પતિ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના તરવાડીયા હિમત ગામે રહેતા 25 વર્ષીય રેખાબેન પુરૂષોત્તમભાઇ ડામોરના લગ્ન આશરે નવ માસ અગાઉ ગલાલીયાવાડ નદી ફળીયામાં રહેતા પુરૂષોત્તમ ડામોર સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના એકાદ મહિના જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ પુરૂષોતમ દ્વારા તુ ઘરનું કામકાજ બરાબર કરતી નથી કહી પત્ની રેખાબેનને અવાર નવાર હેરાન પરેશાન કરી મારામારી કરતો હતો

અને તંુ દુબળી પાતળી છે કાળી છે તારામાં કોઇ લક્ષણ નથી મને ગમતી નથી તને રાખવાની નથી તેમ કહી બિભત્સ ગાળો બોલી મારઝૂડ કરી અવાર નવાર મહેણાં ટોણા મારતો હતો. તેમજ બીજાના કહેવામાં આવી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી રેખાબેનને બેથી ત્રણ વાર ઘરમાંથી કાઢી મુકી હતી. પરંતુ છોકરીનો ઘર સંસાર ન બગડે તે માટે તેના માતાપિતાએ સમાધાન કરી પાછી સાસરીમાં મોકલી આપી હતી.

તેમ છતાં પુરૂષોતમમાં કોઇ પણ ફરજ પડ્યો ન હતો અને વધારે હેરાન કરવા લાગ્યો હતો. તેમજ છેલ્લા દોઢ માસથી રેખાબેનને શારીરિક માનસિક ત્રાસ આપવી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી અને અમારા ઘરમાં પાછી આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી રેખાબેને હારીથાકીને પતિ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: