ફતેપુરામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
દિવ્ય ભાસ્કર
Jul 27, 2020, 04:00 AM IST
ફતેપુરા. જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બલૈયા ચોકડી પર રહેતા પંકજભાઇ નટવરભાઈ પંચાલનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો. ફતેપુરા ગામમાં કોરોનાના દશ જેટલા કેસો નોધાઇ ચૂક્યા છે. જોકે અડધા દર્દીઓ સાજા થયા છે. રવિવારના રોજ વધુ એક કેસ પોઝિટિવ આવતાં દર્દીને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફતેપુરાના હોળી ચકલા વિસ્તારથી મેઇન બજાર, પાછલા પ્લોટ વિસ્તાર, જુના બસ સ્ટેશન વિસ્તારમાં કેસો નોધાતાં અડધા કરતાં પણ ગામનો મોટા ભાગનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તબદીલ થઇ જવા પામ્યો છે.
« દાહોદ જિલ્લામાં કોરોના મામલે દેખરેખ માટે સચિવની નિમણૂંક કરાઇ (Previous News)
(Next News) દાહોદમાં જમાલી સ્કૂલને કોવિડ-19માં તબદીલ કરવાની માગ »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed