નિર્ણય: દાહોદ જિ.ના કોવિડ દર્દીઓએ વડોદરા જતા પહેલા 14420 નંબરે જાણ કરવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરાઈ
  • વડોદરા શહેરના બદામડી બાગ ખાતે ‘વોર રૂમ’ તૈયાર કરાયો

દાહોદ જિલ્લાના કોવિડ દર્દીઓ જે વડોદરા જિલ્લાના સરકારી કે ખાનગી દવાખાનામાં સારવાર કરાવા જવા ઇચ્છતા હોય તેમણે ટેલિફોનિક નંબર 14420 નંબર ઉપર ફરજીયાત જાણ કરવાની રહેશે. કોવિડ દર્દીઓ તાત્કાલિક સારવાર કોઇપણ મુશ્કેલી વગર મેળવી શકે તે માટે ‘વોર રૂમ’ વડોદરાના બદામડી બાગ ખાતે તૈયાર કરાયો છે.

ખાનગી કે સરકારી એમ્બ્યુલન્સોએ પણ વડોદરામાં સારવાર માટે લઇ જતા કોવિડ દર્દીઓ અંગે ઉક્ત નંબર પર ફરજીયાત જાણ કરવાની રહેશે. ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે એક નોટીફિકેશન દ્વારા વડોદરા જિલ્લાની ખાનગી કે સરકારી કોઇ પણ દવાખાનામાં દાખલ થતા પહેલા ‘વોર રૂમ’નાં ટેલિફોનિક નંબર 14420 પર ફરજીયાત જાણ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: