ધમકી: ખરેડીમાં પથ્થરો કેમ નાખ્યા કહી ત્રણ સાથે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 4 ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ

ખરેડીના કિરણભાઇ દુદેસીંગભાઇ કલારા તથા પરિવારજનો બુધવારના રોજ સાંજના સમયે ઘરે હતા. ત્યારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તેમના ગામના રાળુ ધના કલારા, કાળા ધના કલારા, હવસિંગ ધના કલારા, કડુ ધના કલારા ચારેય જણા ગાળો બોલતા જઇ આવી કહેવા લાગેલ કે તમો રોડની સાઇડમાં પત્થરો કેમ નાખ્યા છે કહી દુદેસીંગભાઇ કલારાને અરવિંદભાઇ કલારાને માથાના ભાગે લાકડી મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કરી ઇજા કરી હતી. તેમજ ભુરીબેનને બન્ને હાથે તથા પગા લાકડી મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા દાહોદના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: