દાહોદ I. T. I. ખાતે ૧૦મી એપ્રિલે મેગા જોબફેર ભરતી મેળો યોજાશે : જિલ્લાના બેરોજગાર ઉમેદવારો માટે રોજગારીની ઉત્તમ તક
હાલ સરકારી નોકરી માટેની તકો ખુબજ મર્યાદિત છે. જયારે ઔધોગિક ક્ષેત્રનો ખુબ વિકાસ થઈ રહેલ હોવાથી ખાનગી ક્ષેત્રના ઉધોગોમાં કુશળ તેમજ બિનકુશળ ઉમેદવારોની મોટા પ્રમાણમાં ભરતીઓ કરવામાં આવતી હોય છે. હાલમાં આવી વિવિધ પ્રકારની ખાલી જગ્યાઓ માટે મેગા જોબફેર તા.૧૦/૦૪/૨૦૧૮ ના સવારે ૧૦:૦૦ કલાકથી આઈ.ટી.આઈ દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. રાજયના જુદા જુદા ઔધોગિક એકમો /નોકરી દાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. જો તમે આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તો તમામ અસલ પ્રમાણપત્રો તેની ખરી નકલો. પાસપોર્ટ ચાઈઝના ફોટા સાથે સ્વખર્ચે સદર સ્થળે હાજર રેહવું.
શૈક્ષણિક લાયકાત .ધોરણ -૮ પાસ કે તેથી વધુ /આઈ ટી આઈ તમામ ટ્રેડ / ડીગ્રી .બી કોમ / બી.એ / બી એસ સી. ઉમર -૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોએ ભાગ લઈ શકશે. આ મેગા જોબ ફેરમાં લાઈન ઓપરેટર હેલ્પર, કસ્ટમર કેર, સેલ્સ એજ્યુકેશન, ટ્રેની કાઉન્સેલરની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. એમ દાહોદ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
.
Related News
દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજRead More
જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ : ગુજરાત પેટર્ન હેઠળ રૂા. ૭૨.૧૯ કરોડના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા
સ્થાનિક ગ્રામજનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓનો સહયોગ લઇ પ્રાથમિક જરૂરિયાત પ્રમાણે કામો ઝડપથી પૂર્ણRead More
Comments are Closed