દાહોદ સાંસદે નર્સ-પેરામેડિકલ સ્ટાફ માટે 2300 રાખડી મોકલી
દિવ્ય ભાસ્કર
Aug 05, 2020, 04:00 AM IST
દાહોદ. વિશ્વભરમાં કોરોના મહામારીથી પ્રજા ત્રસ્ત થઇ રહી છે. આવા સમયે કોરોનાની બીમારીમાં સપડાતા દર્દીની રક્ષા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ ખડે પગે કરી રહ્યા છે. ત્યારે દાહોદ જિ.ના આ કોરોના વોરિયર્સ માટે સાંસદ જશવંતસિંહજી ભાભોરે ભાવવાહી પત્ર લખી 2300 જેટલી રાખડીઓ મોકલી તેમની રક્ષા માટે પરમાત્માને પ્રાર્થના કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ‘કોરોના દર્દીઓને સાજા કરવા જાતની પણ પરવા કર્યા વગર અખંડ યોદ્ધાની જેમ ઝઝૂમી રહ્યાં છો ત્યારે આપની રક્ષા માટે રક્ષાબંધને હું પ્રાર્થના કરી આપ સૌ માટે આ રાખડીઓ મોકલું છું, તેમજ આપનું અભિવાદન કરું છું.’ આનાથી કોરોના યોદ્ધાઓમાં ઉત્સાહનો અનેરો સંચાર થયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed