દાહોદ શહેરના ઇન્દોર હાઇવે ઉપર આવેલ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન શ્રી સીમંધર સ્વામી મંદિરનો ધજાનો કાર્યક્રમ ધામધૂમ થી યોજાયો
KEYUR PARMAR – DAHOD
દાહોદ શહેરના ઇન્દોર હાઇવે ઉપર આવેલ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન શ્રી સીમંધર સ્વામી મંદિર નો ધજાનો કાર્યક્રમ ધામધૂમ થી યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર જૈન સમાજ દ્વારા લાભાર્થીના ઘરેથી શોભા યાત્રા કાઢી અને વાજતે ગાજતે જૈન મંદિર ખાતે પહોંચાડી હતી. ત્યાં પૂજા ભણાવી અને ત્યાર બાદ 12:39 કલાકના શુભ વિજય મુર્હતમાં ધજા નો વિધિવત કાર્યક્રમ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો, અને મંદિર પ્રાંગણમાં આવેલ તમામ દેવી દેવતાઓની ડેરીઓની પણ ધજાનો કાર્યક્રમ આ સાથે યોજાયો હતો.
આ કાર્યક્રમ બાદ મંદિરમાં પધારેલ આચાર્ય ભગવંતને ટ્રસ્ટીઓ દ્વારા કામ્બળી ઓડાઢવામાં આવી હતી અને ત્યારબાદ આરતી અને મંગલ દિપક કાર્ય પછી સ્વામી વાત્સલ્ય (સમૂહ ભોજન) નો કાર્યક્રમ રાખેલ હતો. આમ આ દિવસની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
Related News
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારતRead More
હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યાRead More
Comments are Closed