ખાતમુહૂર્ત: દાહોદમાં આજે મુખ્યમંત્રીના હસ્તે કડાણા સિંચાઇ યોજનાનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 1500 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી દાહોદ જિલ્લાને 1500 કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.8ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ.1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના લોકાર્પણ કરશે. ઝાલોદના પાદરમાં આવેલા મેલાણિયા ગામ સ્થિત આઇટીઆઇ પાસે મર્યાદિત લોકોની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ કામોમાં રૂ.1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-1, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રૂ.3.28 કરોડથી નિર્મિત ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, આદિજાતી વિભાગ દ્વારા ઝાલોદ ખાતે રૂ.7.61 કરોડના સરકારી કુમાર છાત્રાલય, આરોગ્ય વિભાગના કુલ 2.40 કરોડથી નિર્મિત બે આરોગ્ય કેન્દ્રો અને જેટકો રૂ.2.20 કરોડના 66 કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે. રૂ.226 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-1, કડાણા આધારિત રૂ. 213.69 કરોડની ત્રણ પાણી પુરવઠા યોજના, પાણી પુરવઠા વિભાગની રૂ.14.94 કરોડની બે ફળિયા કનેક્ટિવિટી યોજના અને રૂ. 4 કરોડના ખર્ચથી નિર્માણ પામનારા 66 કે. વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: