આસ્થાને તાળા કેમ મારવા?: દાહોદમાં શીતળા સાતમે મંદિર બંધ હોવા છતાં રાતના 12 વાગ્યાથી મહિલાઓની ભીડ જામી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ
- કોરોનાને લઇને શીતળા માતાનું મંદિર પાંચ દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી
દાહોદ જિલ્લામા સમગ્ર કોરોના કાળમા દર્દીઓ મામલે જિલ્લા મથક દાહોદ આજ દિન સુધી મોખરે રહ્યુ છે. હાલમાં પણ રોજેરોજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે તહેવારોને અનુલક્ષીને શહેરના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર અને પરેલમાં આવેલુ સુદઈ માતાનુ મંદિર તારીખ 01થી 05 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શીતળા માતાનુ મંદિર બંધ રખાયુ હોવા છતાં સાતમે રાતથી જ ભાવિકોની ભીડ જામી હતી.
બીજી તરફ ફાગણ વદ સાતમ જેને ઘણા લોકો શીતળા સાતમ તરીકે ઉજવે છે. આ દિવસે આગલા દિવસે બનાવેલુ ઠંડુ ભોજન જ આરોગવાનુ હોય છે. તે પહેલા શીતળા માતાની પૂજા કરવાની હોય છે તેમજ મહિલાઓ આ દિવસે સ્નાન પણ ઠંડા પાણીથી જ કરે છે. ત્યારે આજે સાતમ હોવાથી શીતળા માતાનુ મંદિર બંધ હોવા છતા રાતના 12 વાગ્યાથી મહિલાઓની ભીડ જામવા લાગી હતી.
શ્રધ્ધાળુઓએ બંધ મંદિરના પટાંગણમા જ પૂજા અર્ચના કરી હતી. જેથી ઠેર ઠેર પૂજાનો સામાન વેર વિખેર થયેલો જોવા મળ્યો હતો. આમ ભીડ ન થાય તેના માટે મંદિર બંધ રખાયુ હોવા છતા આસ્થાને તાળા કેવી રીતે મારવા? આમ ખરેખર શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed