આયોજન: શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજના NSS વિભાગ અને જેસાવાડામાં કોવિડ-19 અંગે જાગૃત્તિ રેલી
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા દેલસર અને ખરેડી ગામે Covid-19 કોરોના વાઈરસ અંતર્ગત લોકોમાં જાગૃત્તિ લાવવા એનએસએસના પ્રોગ્રામ ઑફિસર મિતેશ એમ. કોચરા, કૉલેજ સ્ટાફ તેમજ સ્વયંસેવકો દ્વારા ગામમાં લોકોને કોરોના વાઈરસના સંક્ર્મણથી કઈ રીતે બચવું અને ભીડવાળી જગ્યાએ ઓછું જવું, એક મીટરનું સામાજિક અંતર જાળવવું, હાથ સેનેટાઈઝ કરવાની સમજૂતી આપી સૂત્રો-પોસ્ટર લગાવી લોકોને માસ્ક વિતરણ કર્યા હતા.

જાગૃત્તિ રેલી
ગરબાડા. દાહોદ જીલ્લા ના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્રારા દિવાળીના તહેવારોને લઈ ને કોરોના વાઇરસની મહામારીથી બચવા જન જાગૃતિ અભિયાનની રેલી કાઢી લોકોને તહેવાર દરમિયાન પોતાના મોઢા પર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરાઇ હતી.જેમ જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર, સુપર વાઇઝર, આરોગ્ય મેલ-ફિમેલ કર્મચારીઓ તેમજ આશા વર્કર બહેનો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતાં. }યશવંત રાઠોડ
Related News
હુમલો: માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતાં પુત્રવધૂને દેરાણીએ કુહાડી મારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલાRead More
દુર્ઘટના: સંજેલીમાં રસોઈ બનાવતાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં નુકસાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલાRead More
Comments are Closed